Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

નીમ કરૌરી બાબાના મોટા પુત્ર શ્રી 'અનેક જી શર્મા'એ દેહ ત્યાગ કર્યો: સુભાષ નગર વિશ્રામ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર : સોમવારે લઇ જવાશે પાર્થિવદેહ

નિમ કરોરીબાબા તેમના અનુયાયીઓમાં મહારાજ-જી તરીકે જાણીતા:હનુમાનજીના ભક્ત હતા. સંખ્યાબંધ અમેરિકનોના આધ્યાત્મિક ગુરુ તરીકે ભારતની બહાર જાણીતા

મથુરા :ખુબજ દુખ સાથે જણાવવામાં આવે છે કે નીમ કરૌરી બાબાના મોટા પુત્ર શ્રી 'અનેક જી શર્મા' એ આજે પોતાનો દેહ ત્યાગ કર્યો છે. સુભાષ નગર વિશ્રામ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર માટે તેમનો પાર્થિવ દેહ આવતીકાલે સોમવારે તા. ૨૨ના રોજ લઈ જવામાં આવશે. સમય - સવારે ૧૦ કલાકે..  ૐ શાંતિ શાંતિ શાંતિ:

નિમ કરોરીબાબા તેમના અનુયાયીઓમાં મહારાજ-જી તરીકે જાણીતા હતા, તેઓ  હનુમાનજીના ભક્ત હતા.  સંખ્યાબંધ અમેરિકનોના આધ્યાત્મિક ગુરુ તરીકે ભારતની બહાર જાણીતા છે, તેમના આશ્રમો કૈંચી, વૃંદાવન, ઋષિકેશ, સિમલા, ફરુખાબાદમાં ખીમસેપુર નજીક નીમ કરોલી ગામ, ભૂમિધર, હનુમાનગઢી, ભારતમાં દિલ્હી અને તાઓસ, ન્યુ મેક્સિકો, યુએસમાં છે.

(12:07 am IST)