Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મમતા બેનર્જી દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા પ્રતિનિધિમંડળ મોકલશે

સાંસદોનું પ્રતિનિધિમંડળ હિંસા વિસ્તારની મુલાકાત લેશે અને લોકો સાથે વાત કરશે અને ઘટનાની હકીકતો જાણશે

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જીએ દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા તૃણમૂલ કોંગ્રેસને ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ટીમમાં પાંચ ટીએમસી સાંસદ હશે. સાંસદોનું પ્રતિનિધિમંડળ હિંસા વિસ્તારની મુલાકાત લેશે અને લોકો સાથે વાત કરશે અને ઘટનાની હકીકતો જાણશે. જે બાદ આ ટીમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનો રિપોર્ટ સોંપશે.

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. દિલ્હીના જહાંગીરપુરીમાં ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ મોકલવાનો મમતા બેનર્જીનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભાજપે તેનું એક પ્રતિનિધિમંડળ બીરભૂમ જિલ્લાના બોગતુઈમાં પણ મોકલ્યું છે.

(11:28 pm IST)