Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

યોગનો આસનો દ્વારા ઓછી થયેલ આંખોની રોશની દૂર કરી શકાય

દિલ્‍હીના યોગ પ્રશિક્ષક મૃદુલા શર્માના યોગ સંબંધી આસનોની ટિપ્‍સ

નવી દિલ્‍હીઃ આધુનિક યુગમાં લેપટોપ-મોબાઇલ અને મલ્‍ટી મીડિયાના વધારે પડતો ઉપયોગથી આંખોની રોશની ઓછી થવાના અનેક કારણો છે. જે યોગના આસનો કરવાથી આંખોની ઓછી થફેલી રોશની દૂર કરી શકાય છે. ચક્રાસન, સર્વાંગાસન, બકાસન, અનુલોમઅવિલોમ વગેરે જેવા આસનોથી તંદુરસ્‍ત રહી શકાય છે. ચક્રાસન કરવાથી આંખોને સ્‍વસ્‍થ રાખી શકાય છે.

આજે વિશ્વયોગ દિવસ છે, જેણા કારણે આપણે યોગની વાત કરીશું. યોગથી શરીરના દરેકે દરેક અંગને મોટા ફાયદા થાય છે. જો આંખો હોય તો દરેક રંગ સુંદર અને દરેક દૃષ્ટિ સુંદર હોય છે. જે આંખોથી આપણે દુનિયાને જોઈએ છીએ, તે આંખોની કાળજી લેવામાં પણ ઘણી બેદરકારી કરીએ છીએ. જેના કારણે આંખની સમસ્યા અને ચશ્માની સંખ્યા સતત વધી રહી છે. શું તમે જાણો છો કે કામ કરતી વખતે અપનાવવામાં આવતા કેટલાક યોગાસનો અને ટિપ્સની મદદથી આપણે આંખોની વધુ સારી રીતે કાળજી લઈ શકીએ છીએ.

લેપટોપ કે ડેસ્કટોપ પર કલાકો સુધી કામ કરવાથી માત્ર સ્વાસ્થ્ય પર જ અસર નથી થતી, પરંતુ આંખો પર પણ ખરાબ અસર પડે છે. કોમ્પ્યુટર પર સતત આંખો ચાલુ રાખવાના કારણે આંખને મોટું નુકસાન થાય છે અને આંખોની રોશની ઝડપથી નબળી થવા લાગે છે. આવો, દિલ્હીના યોગ પ્રશિક્ષક મૃદુલા શર્મા સાથે જાણીએ આંખોની રોશની સુધારવા સંબંધિત યોગાસનો વિશે.

યોગાસનો જે  રાખશે આંખોની સંભાળ

ચક્રાસન -

તેને વ્હીલ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુજબ જે લોકોને લાગે છે કે તેઓ કલાકો સુધી કોમ્પ્યુટર કે અન્ય સ્ક્રીનને જોતા રહે છે અને તેના કારણે તેમની આંખોની રોશની પર અસર થઈ રહી છે તો તેમણે ચક્રાસન કરવું જોઈએ. આ આસન કરવાથી આંખોની રોશની વધે છે.

સર્વાંગાસન –

આ આસન કરવાથી આંખોની રોશનીનું પણ ધ્યાન રાખી શકાય છે. આ આસન કરવાથી માથા તરફ રક્ત પરિભ્રમણ વધે છે, જેના કારણે આંખો સારી રહે છે. આ યોગાસન કરતા પહેલા થોડી પ્રેક્ટિસ જરૂર કરજો.

બકાસન -

આ આસન કરવા માટે સંતુલન બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને 30-60 સેકંડ માટે હોલ્ડ કરવો જરૂરી છે. આ આસન કરતી વખતે માથાનો ભાગ જમીન તરફ હોય છે અને આખું શરીર જમીનની ઉપર રહે છે. આ આસન કરવાથી આંખોમાં લોહીનો પ્રવાહ સારો રહે છે.

અનુલોમ વિલોમ –

આ પ્રાણાયામને તમારી દિનચર્યામાં સામેલ કરીને તમે પીડા, બળતરા અને આંખોની ઝાંખી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ પ્રાણાયામ કરતી વખતે શ્વાસ થોડી સેકંડ માટે રોકાય છે, જે દરમિયાન હવા મગજની ચેતા સુધી પહોંચે છે અને આંખોને આરામ આપે છે.

આ ટીપ્સનું પાલન કરવું જરૂરી

- થોડી થોડી વારમાં તમારી આંખોને સ્ક્રીન પરથી હટાવો અને તમારી આસપાસની વસ્તુઓ જુઓ.

- એકથી બે કલાકના અંતરાલમાં આંખોમાં ઠંડા પાણીનો છંટકાવ રહેતો રહો. ડ્રાઈ આંખોથી બચો.

- અડધા કલાકના અંતરાલમાં હથેળીને આંખો પર રાખીને આરામનો અનુભવ કરાવો

- વચ્ચે 10-15 સેકન્ડ માટે આંખો બંધ રાખો.

- જો તમને આંખોમાં દુખાવો થતો હોય તો તેને ફેરવતા રહો.

- આંખના રૂટીન ચેકઅપમાં બેદરકાર ન રહો.

(5:40 pm IST)