Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

નેપાળના જનકપુરમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ દેખાવો : ભગવાન રામના જન્મસ્થાન બાબતે લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિષ : ભારત વિરોધી બયાન દેવા બદલ નેપાળ વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો રોડ ઉપર ઉતરી આવ્યા

કાઠમંડુ : નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી ભગવાન રામના જન્મસ્થાન બાબતે કરેલા નિવેદન પછી ભારે વિવાદમાં ફસાયા છે.તેમણે જણાવ્યું હતું કે ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો.તેઓ નેપાળી હતા.આ નિવેદને ખુદ તેમની સત્તાધારી પાર્ટીમાં પણ વિવાદ સર્જી દીધો હતો.
તાજેતરમાં જનકપુરમાં નેપાળ વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને  ભગવાન રામના જન્મસ્થાન બાબતે લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરવા બદલ વિરોધ વ્યક્ત કર્યો હતો.તેમજ ભારત વિરોધી નીતિ અપનાવવાની પણ ટીકા કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:44 pm IST)