Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુપ્રીમ કોર્ટે કોવીડ ૧૯ને લઇ ગણેશ ચતુર્થી જેવા ઉત્સવોને અનુમતિ આપવાનો ઇનકાર કર્યો

દેશની સર્વોચ્ચ અદાલતે કોરોના મહામારીની ભયાનકતા વચ્ચે, ગણેશ ચતુર્થી જેવા ઉત્સવોને ઉજવવા માટે અનુમતિ આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે આવા
અવસર ઉપર લોકોની ભારે ભીડ જમા થાય છે જે નિયંત્રિત કરી શકાતી નથી. અદાલતે પર્યુષણ પર્વના છેલ્લા બે દિવસ ૨૨ અને ૨૩ ઓગસ્ટે મુંબઈમાં માત્ર દાદર, ભાયખલા અને ચેમ્બુરમાં આવેલ ત્રણ જૈન મંદિર ખોલવાની શરતો સાથે અનુમતી આપી હતી.

(12:00 am IST)