Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોના વોરિયર નું મૃત્યુ થતાં કેજરીવાલે મૃતક પરિવારના ઘરે જઈ એક કરોડનો ચેક સુપ્રત કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાવાયરસથી જીવ ગુમાવનાર એમટીડીના સફાઈ કર્મચારી રાજુના પરિવારને એક કરોડ રૂપિયાની સહાયતા રકમનો ચેક સુપરત કર્યો છે. કેજરીવાલે જાતે રાજુ ના ઘરે જઈ એના પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી અને ચેક દેતી વેળાએ કહ્યું હતું કે હું તેમની સેવા અને સમર્પણ ને નમન કરું છું. મને તમામ કોરોના વોરિયર્સ ઉપર ગર્વ છે. જનતાની સુરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરતા પણ ડરતા નથી. કેજરીવાલે એક અલગ મિશાલ કાયમ કરી છે.

(12:00 am IST)