Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોના મહામારીમાં જમ્મુ-કાશ્મીરમાં નવા ૬૫૪ કેસ નોંધાયા: 15 દર્દીઓના મોત

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાવાયરસ ફૂંફાડો મારી રહ્યો છે. વૈષ્ણોદેવીની યાત્રા ચાલી રહી છે ત્યારે રોજેરોજ કોરોનાવાયરસના નવા આંકડા આવતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં ૬૫૪ નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૩૧૩૭૧ થઈ છે. આજે પંદર વધુ દર્દીઓના
મૃત્યુ સાથે મૃતકોની સંખ્યા ૫૯૩ થઈ છે. ૬૫૪ નવા કેસમાં ૫૪૦ કેસ કાશ્મીરના છે અને ૧૧૪  કેસ જમ્મુ ક્ષેત્રના છે. અત્યારે ૬૯૭૩  એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. ૨૩૮૦૫ કેસ સાજા થયા છે.

(12:31 am IST)