Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુશાંતસિંહ આત્‍મહત્‍યા કેસ : મોટો વિસ્‍ફોટ

સીબીઆઈને પૂરી શંકા છે પોસ્‍ટમોર્ટમ બરાબર રીતે થયુ નથી, અથવા તો રિપોર્ટમાં ગડબડ છે

કરણી સેનાના સુરજીતસિંહ કહે છે સુશાંતનો મિત્ર સંદિપ હત્‍યાનો માસ્‍ટર માઈન્‍ડ

બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈની તપાસે ગતી પકડી લીધી છે : સુશાંતનું પોસ્‍ટમોટર્મ કરનાર ડોકટર અને એક્‍સપર્ટ ટીમની સીબીઆઈના ઓફીસરો હવે ગમે ત્‍યારે પૂછપરછ કરશે. સીબીઆઈની પૂરી શંકા છે કે સુશાંતસિંહના મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ બરાબર નથી થયુ અથવા તો રીપોર્ટમાં કોઈ ગડબડ કરવામાં આવી છે. સીબીઆઈ મુંબઈ પોલીસને પણ પોસ્‍ટમોર્ટમ અંગે પૂછપરછ કરશે. મુંબઈ પોલીસને એવુ પણ પૂછાશે કે બીજા ડોકટર અથવા એક્‍સપર્ટનો શા માટે સંપર્ક નથી કર્યો? આ વિષયના વિશેષજ્ઞો દ્વારા સીબીઆઈને બતાવાયુ છે કે પોસ્‍ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્‍યુના સમય જેવી મહત્‍વપૂર્ણ જાણકારીનો કોઈ ઉલ્લેખ નથી. હવે સીબીઆઈ ગમે ત્‍યારે ડોકટર અને એક્‍સપર્ટને પ્રશ્નોત્તરી કરશે. મુંબઈ પોલીસને પણ પ્રશ્નોત્તરી માટે ગમે ત્‍યારે બોલાવશે.

દરમિયાન સુશાંત કેસમાં કરણી સેનાના સુરજીતસિંહે હત્‍યા થયાનું જણાવ્‍યુ છે. તેમણે કહ્યુ છે કે સુશાંતનો મિત્ર સંદીપ જ હત્‍યાનો માસ્‍ટર માઈન્‍ડ છે. સંદીપની ધરપકડ જો કરી લેવામાં આવે તો સત્‍ય બહાર આવશે. તાત્‍કાલીક ધરપકડ કરવા કરણી સેનાના સભ્‍ય સુરજીતસિંહે માંગણી કરી છે.

(3:08 pm IST)