Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દેશમાં કોરોના વાઇરસથી થનારાં મૃત્યુનો દર ઘટીને 1.87 ટકા થયો : ડો, હર્ષવર્ધન

કોરોનાથી રિકવરીનો દર 75 ટકા છે. જે વિશ્વમાં સૌથી સારો

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ વાત કહી છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં કોરોનાથી થનારાં મૃત્યુનો દર 1.87 ટકા સુધી થઈ ગયો છે, જે બહુ જ ઓછો છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર દેશમાં કોરોનાથી રિકવરીનો દર 75 ટકા છે. જે વિશ્વમાં સૌથી સારો છે.

આરોગ્યમંત્રીનું એવું પણ કહેવું છે કે હાલમાં દેશમાં કોરોના-પરીક્ષણ માટેની લગભગ 1500 લૅબ છે.

(5:48 pm IST)