Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ર૦ર૪માં ભાજપ એકલી રહી જશેઃ દિલ્‍હીની સતા સુધી નહીં પહોંચેઃ લાલુ યાદવ

પટના તા. રરઃ આરજેડી સુપ્રીમો લાલુ યાદવે દાવો કર્યો છે કે, ર૦ર૪માં ભાજપ દેશમાં એકલી રહી જશે. તેમણે અમિતભાઇના બિહારના સીમાંચલ પ્રવાસ ઉપર નિશાન સાધ્‍યું હતું. તેમણે વધુમાં જણાવેલ કે, શાહના ઇરાદો નેક નથી. ભાજપ ફરીથી દિલ્‍હીની સત્તા સુધી નહીં પહોંચી શકે. તેમનો રસ્‍તો રોકવાનું અભિયાન બિહારથી શરૂ થઇ ચૂકયું છે.
આરજેડીની રાજય પરિષદની બેઠકને સંબોધતા લાલુએ જણાવેલ કે, ભાજપનો ચહેરો દેશ સામે ખુલ્લો પડી ગયો છે. જનતા તેમની હકીકત જાણી ચૂકી છે. સોનીયાજી વિદેશથી પરત ફર્યા છે. રાહુલની યાત્રા બાદ હું અને નિતીશકુમાર તેમને મળવાના છીએ.

 

(3:49 pm IST)