Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

તેજસ્વી યાદવમાં પિતાની જેમ ધીરજ નથીઃ પપ્પુ યાદવએ આરજેડી નેતા પર પ્રહાર કર્યો

બિહારની પૂર્ણિયા લોકસભા સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા પપ્પુ યાદવે મંગળવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા કહ્યું કે તેમનામાં પિતા લાલુ પ્રસાદની જેમ ધીરજ નથી. જ્યારે પત્રકારોએ તેજસ્વી યાદવના ભાષણો તરફ તેમનું ધ્યાન દોર્યું ત્યારે પપ્પુ યાદવે આ ટિપ્પણી કરી હતી. આરજેડી ઉમેદવાર તેજસ્વી પૂર્ણિયામાં બીમા ભારતી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

(9:07 pm IST)