Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

" આ છે પાકિસ્તાનની લોકશાહી " : સરકારની નીતિઓની ટીકા કરવા બદલ પત્રકારનું ધોળે દિવસે ઘરમાંથી અપહરણ : સશસ્ત્ર ખાખી વર્દીધારીઓ ઉપાડી ગયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વરિષ્ઠ પત્રકાર મતિઉલ્લાજાનનું ગઈકાલ મંગવારે ધોળે દિવસે અપહરણ કરાયું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ સરકારની નીતિઓની ટીકા કરવા બદલ સશસ્ત્ર  ખાખી વર્દીધારીઓ તેમને નિવાસ સ્થાનેથી ઉપાડી ગયા હતા.જે બાબત સોશિઅલ મીડિયામાં ફેલાઈ જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેના પરિણામે  આખરે સરકારે આ પત્રકારને છોડી મુકવા પડ્યા હતા.

(1:37 pm IST)