-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
લવ જેહાદ : શમશાદે નામ બદલી પ્રિયા સાથે લગ્ન કર્યા, પછી હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધો
યુપીના મેરઠમાં જ દફન કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
નવી દિલ્હી,તા.૨૩ : યુપીના મેરઠમાં માતા પુત્રીની હત્યા કરીને મૃતદેહને ઘરની અંદર જ દફન કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાયબ થયા બાદ બહેનપણીએ કેસ દાખલ કર્યો હતો. આરોપ શમશાદ નામની વ્યકિત પર છે જેના પર નામ બદલીને લગ્ન કરવાનો આરોપ છે.
શમશાદ પર આરોપ છે કે તેણે હિન્દુ નામ રાખીને પ્રિયાને દગો કર્યો. શમશાદે પ્રિયા અને તેની પુત્રી કશિશને પાંચ વર્ષ સુધી પોતાની સાથે પત્ની તરીકે રાખ્યાં.
ત્યારબાદ પ્રિયાને ખબર પડી કે શમશાદ વિશેષ સંપ્રદાય સાથે જોડાયેલો છે.
મહિલાએ શમશાદને અમિત સમજીને તેના પર ભરોસો કર્યો. પરંતુ તેની હકીકત તો કઈંક અલગ જ હતી. શમશાદની કટ્ટરતાએ મહિલાને લવ જેહાદનો શિકાર બનાવી. આવામાં જયારે મહિલાને તે વાતની જાણકારી મળી કે શમશાદની અસલીયત કઈક અલગ છે. તદ ઉપરાંત તેણે તેને ફસાવીને લવ જેહાદનો શિકાર બનાવી છે તો મામલાએ તૂલ પકડ્યું અને વિવાદ વધી ગયો.
ગાઝિયાબાદના લોની વિસ્તારની રહીશ પ્રિયા નામની મહિલાની મુલાકાત જયારે શમશાદ સાથે થઈ તો તેણે પોતાનું નામ અમિત જણાવ્યું હતું અને પોતાના પ્રેમના ચુંગલમાં ફસાવી. પરંતુ હિન્દુ ન હોવાની વાત જયારે ખબર પડી તો વિવાદ વધી ગયો. પછી જેનો ડર હતો તે જ થયું. શમશાદે પ્રિયાની હત્યા કરી નાખી.
મળતી માહિતી મુજબ ૨૮ માર્ચના રોજ લવ જેહાદનો ગુનો કરનારા શમશાદે માતા પુત્રીની હત્યા કરી નાખી અને ઘરની અંદર જ મૃતદેહો દાટી દીધા. આ વારદાત બાદ અનેક દિવસો સુધી જયારે વિસ્તારમાં મહિલા અને તેની પુત્રી જોવા ન મળ્યાં તો તેઓએ શમશાદને તેમના વિશે પૂછપરછ કરી. ત્યારબાદ શમશાદે આડા જવાબ આપ્યાં. જેને લઈને મૃતક મહિલાની સખીએ કેસ દાખલ કર્યો હતો.
પોલીસે શમશાદની અનેક વખત પૂછપરછ કરી પરંતુ દર વખતે શમશાદ પોલીસને ખોટું બોલતો રહ્યો. શમશાદને અનેકવાર પૂછપરછ કર્યા બાદ પોલીસે ઘરનું ખોદકામ શરૂ કર્યુ અને બન્ને લાશો મળી આવી. જોત જોતામાં તો શમશાદ નામનો જેહાદી ફરાર થઈ ગયો. હાલ પોલીસ તેને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે વારંવાર પૂછપરછ કરવા છતાં પણ જવાબ ન મળતા અને પુરાવાના અભાવે તેને છોડી દેવાયો અને તે હવે ફરાર થઈ ગયો.