Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રામમંદિર અભિયાન સાથે જોડાવાનો ગર્વ : ભૂમિ પૂજનમાં જવાની ઇચ્છા : ઉમા ભારતી

ભોપાલ : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ૫ ઓગષ્ટના રોજ યોજાનાર રામ મંદિર પૂજનમાં જવાની ઇચ્છા દર્શાવી જણાવેલ કે રામ મંદિર નિર્માણ માટે તેમણે જીવ જોખમમાં મુકેલ અને ૫ ઓગસ્ટે જો તેમને બોલાવાશે તો તેઓ જરૂર જશે.

રામ મંદિર ભૂમિ પૂજનને લઇને મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે વધુમાં જણાવેલ કે, હાલ કોરોના સંક્રમણ વધતા રામ મંદિર ભૂમિ પૂજન ગાઇડલાઇન મુજબ યોજાનાર છે, પણ હાજર રહેવા આમંત્રણ મળશે તો જરૂર જઇશ.

ઉમા ભારતી બાબરી કેસમાં આરોપી છે અને તેઓ એ નેતાઓમાંના એક છે જેમણે રામ મંદિર નિર્માણ અભિયાનમાં ભાગ લેવા બદલ કદી ખેદ વ્યકત કર્યો નથી. કેસ અંગે પણ તેમણે જણાવેલ કે, હું બાબરી કેસમાં આરોપી છું અને હાલમાં જ સીબીઆઇની ખાસ કોર્ટ સમક્ષ હાજર થયેલ. તેમણે જણાવેલ કે, મને ગર્વ છે કે હું અભિયાન સાથે જોડાયેલ અને આ અંગે જે કાંઇ પરિણામ આવશે તે મને સ્વીકાર્ય છે.

(12:55 pm IST)