Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કોરોનાની વચ્ચે ભારતમાં આવી રહ્યું છે વધુ એક સંકટ : UNએ આપી ચેતવણી કહ્યું ૨ અઠવાડિયામાં ત્રાટકી શકે છે તીડ

UNની એજન્સી ફૂડ - એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ચેતવણી

નવી દિલ્હી તા. ૨૩ : તીડ મુદ્દે આંતરરાષ્ટ્રીય એજન્સીએ ભારતને ચેતવણી આપી છે. જેમાં તેમણે ભારતને તીડના હુમલાથી આગાહ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારત પર તીડના આક્રમણનો મોટો ખતરો છે. યુએનનું કહેવું છે કે આગામી ૨ સપ્તાહમાં ભારત પર તીડ ત્રાટકી શકે છે.

ભારતના પશ્ચિમ છેડેથી ૪ હજાર કિમીથી તીડનું ઝુંડ આવી રહ્યું છે. UNની એજન્સી ફૂડ-એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ચેતવણી આપી ભારતને આ માટે તૈયાર રહેવા કહ્યું છે. FAOનું કહેવું છે કે આફ્રિકાના સોમાલિયાથી તીડનું ઝુંડ આવી રહ્યું છે.

FAOએ કહ્યું છે કે ૨ અઠવાડિયામાં સોમાલિયાથી તીડનું ઝુંડ ૨ ભારત પહોંચશે. આ ફકત ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ પહોંચશે. આ તીડ ભારત - પાકિસ્તાન બોર્ડર પર પહોંચશે. જે રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં હુમલો કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે સોમાલિયાએ તીડના એક ઝૂંડનો ઉત્તર- પૂર્વ તરફ નિકાલ કર્યો છે. આ તીડ ભારત- પાકની સીમાં પર પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરશે એ પ્રક્રિયા પુરી થયા બાદ તેઓ ચાલ્યા જશે.આ વિસ્તારનો પાક બરબાદ થઈ જશે. આ વર્ષે ભારતમાં સૌથી ખરાબ તીડ હુમલો થયો છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અન મહારાષ્ટ્રના લગભગ ૨૪ જિલ્લા અસરગ્રસ્ત થાય હતા.

(4:06 pm IST)