Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

દેશમાં છેલ્લા પાંચ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા : કાલે પીએમ મોદી કોરોનાની સ્થિતિ પર બેઠક યોજશે

પીએમની બેઠકમાં કોરાનાની સ્થિતિ અને નવા પ્રકારો પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોનનો ખતરો વધ્યો છે,છેલ્લા પાંચ દિવસમાં ઓમિક્રોનના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ પ્રકારે અમેરિકા અને બ્રિટન જેવા વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં પાયમાલી શરૂ કરી છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને પત્ર લખીને કડક નિયમો બનાવવાની સૂચના આપી છે અને કાલે પીએમ મોદી કોરોનાની સ્થિતિ પર બેઠક યોજવાના છે.

ઓમિક્રોન જે ઝડપે દુનિયામાં હાહાકાર મચાવી રહ્યું છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. પીએમની બેઠક દરમિયાન દેશમાં કોરાનાની સ્થિતિ અને નવા પ્રકારો પર ચર્ચા કરવામાં આવશે.

(11:07 pm IST)