Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

કાલે કેજરીવાલ કોરોનાના સંભવિત તત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારીઓને મામલે બેઠક કરશે

હોસ્પિટલના પલંગ, ઓક્સિજન, દવાઓ સહિત હોમ આઇસોલેશન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે કોરોનાના સંભવિત ત્રીજા મોજાની તૈયારીઓને લઈને એક બેઠક કરશે. કેજરીવાલ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને તૈયારીઓની સમીક્ષા કરશે.

 ગુરુવારે સવારે 11 વાગ્યે સચિવાલયમાં બેઠક બોલાવવામાં આવી છે, સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓ બેઠકમાં હાજરી આપશે. આ બેઠક દરમિયાન, હોસ્પિટલના પલંગ, ઓક્સિજન, દવાઓ સહિત હોમ આઇસોલેશન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.

(11:10 pm IST)