Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

બિહાર વિધાનસભાના સ્પીકરનો ફતવો

જે ધારાસભ્યોએ વેકસીન લીધી હશે તેને જ વિધાનસભામાં એન્ટ્રી મળશે

જો કે તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવે હજુ સુધી વેકસીન લીધી નથી

પટણાઃ  બિહાર વિધાનસભામાં તે ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવશે, જેમણે કોરોનાની રસીનો ડોઝ લીધો છે. વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાએ નવો આદેશ જાહેર કર્યો છે. બિહારમાં કેટલાક દિવસમાં જ વિધાનસભાનું મોનસૂન સત્ર શરૂ થઇ શકે છે, એવામાં જે ધારાસભ્યોએ વેકસીનના ડોઝ નથી લીધા તેમને મુશ્કેલી થઇ શકે છે.

વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાના આ આદેશની સૌથી વધુ તકલીફ વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને થઇ શકે છે. બન્નેએ હજુ સુધી વેકસીન લીધી નથી. તેજસ્વી યાદવે કહ્યુ કે તે વેકસીન લેનારા અંતિમ વ્યકિત હશે, તેમનો વિચાર છે કે પહેલા સામાન્ય જનતાનું રસીકરણ થઇ જાય.

(3:18 pm IST)