Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

૧૫ દિ'નો મૃત્યુઆંક ૨૩૩

કોરોના થાકતો નથીઃ રાજકોટમાં આજે વધુ ૧૨ મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૦૭ અને ખાનગી હોસ્પિટલમાં ૦૫ દર્દીએ દમ તોડ્યો

રાજકોટ તા. ૨૪: કોરોના કેમેય કરીને રોકાતો નથી. પોઝિટિવ કેસોની સંખ્યામાં રોજબરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે અને સાથોસાથ મૃત્યુ પણ થઇ રહ્યા છે.રાજકોટમાં વધુ ૧૨ દર્દીઓએ દમ તોડી દીધો છે. આ સાથે પંદર દિવસનો મૃત્યુઆંક ૨૩૩ સુધી પહોંચી ગયો છે.

 

કોરોના મહામારીને મ્હાત કરવા વિશ્વ આખુ પ્રયાસો કરી રહ્યું છે. વેકસીન પણ શોધવાની દિશામાં સંશોધનો થઇ રહ્યા છે. લોકડાઉન, અનલોક જેવા નિયમોનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે રાજકોટમાં રોજબરોજ નવા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ ઉપરાંત મૃત્યુ પણ ટપોટપ થઇ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૨ દર્દીઓના મોત થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૦૭ અને ખાનગી હોસ્પિટલમાં ૦૫ દર્દીઓએ દમ તોડી દીધો છે. તે સાથે પંદર દિવસનો મૃત્યુઆંક ૨૩૩ થયો છે.

(11:57 am IST)