Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કોરોનાના ૬૬૫૦ નવા કેસઃ ૩૭૪નાં મોત

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૬૬૫૦ નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ ૧૧.૩ ટકા ઓછા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૪  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૩,૪૭,૭૨,૬૨૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૪,૭૯,૧૩૩ લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૩,૪૨,૧૫,૯૭૭ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૭૦૫૧ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૭૭,૫૧૬એ પહોંચી છે, જે ૫૮૧ દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને ૯૮.૪૦ ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, ૨૦૨૦ પછી સૌથી વધુ છે. મૃત્યુદર દ્યટીને ૧.૩૮ ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૧,૬૫,૮૮૭ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૬૦.૭૨ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(3:39 pm IST)