Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

દેશમાં કોરોનાની બીજી લહેર ખત્મ થવાના આરે : 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસમાં મોટો ઘટાડો : વધુ 3.26 લાખથી દર્દીઓ રિકવર થયા : વધુ 3496 લોકોના મોત

સૌથી વધુ તામિલનાડુમાં 34.867 કેસ,કર્ણાટકમાં 25.311 કેસ, કેરળમાં 17.821 કેસ. મહારાષ્ટ્રમાં 22.122 કેસ,આંધ્રપ્રદેશમાં 12.994 કેસ, પશ્ચિમ બંગાળમાં 17.883 કેસ. ઓરિસ્સામાં 11.059 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં 1.95.685 કેસ નોંધાયા છે. જ્યારે  3,26,671  દર્દીઓ રિકવર થયા છે  આ સાથે દેશમાં હવે દેશમાં 2,40.47.760 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 1.95.685 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3496 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,07.249 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.95.685 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,69.47.496 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 25.81.741એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3.26.671 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,40.47.760 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 34.867 કેસ,કર્ણાટકમાં 25.311 કેસ, કેરળમાં 17.821 કેસ. મહારાષ્ટ્રમાં 22.122 કેસ,આંધ્રપ્રદેશમાં 12.994 કેસ, પશ્ચિમ બંગાળમાં 17.883 કેસ. ઓરિસ્સામાં 11.059 કેસ નોંધાયા છે 

(9:33 am IST)