Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

આજે વાજપેયજીની ૯૭મી જન્મ જયંતીઃ રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સદૈવ અટલ ખાતે શ્રદ્ઘાંજલિ અર્પી

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે ૯૭મી જયંતી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા હતા અને શ્રદ્ઘાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉંપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉંપસ્થિત રહ્યા હતા. સૌએ તેમના સ્મારક સ્થળે પુષ્પ અર્પિત કરીને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.

 

(11:57 am IST)