Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

કાશ્મીરમાં ૨૪ કલાકમાં ૩ આતંકવાદી ઠાર : આ વર્ષે ૧૮૧ આતંકીને મોતને ઘાટ ઉતાર્યા

૪૪ સુરક્ષા કર્મચારીઓ શહિદ થયાઃ ૩૬ નાગરિકો મોતને ભેટયાઃ ભાજપના ૫ કાર્યકરો અને પીઆઈની હત્યા કરનાર ઠાર મરાયો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૨૫ :. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮૧ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં સફળતા મળી છે.

છેલ્લા ઍક વર્ષમાં આતંકીઓ સાથેની અથડામણમાં ૪૪ સુરક્ષા કર્મચારીઓ શહિદ થયા છે. જ્યારે ૩૬ લોકોના મોત થયા છે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં ભાજપના ૫ કાર્યકરો અને પીઆઈની હત્યા કરનાર હિઝબુલ મુજાહીદીનનો કુખ્યાત આતંકી શહજાદ અહમદ સેહને પણ મારી નાખ્યો છે.

(5:19 pm IST)