Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

તરુણ તેજપાલને બળાત્કાર કેસમાં છોડી મુકવાના હુકમને હાઇકોર્ટમાં ગોવા સરકારે પડકાર્યો: કાલે સુનાવણી

નવી દિલ્હી : તહેલકા મેગેઝીનના તંત્રી અને જાણીતા પત્રકાર  તરુણ તેજપાલને બળાત્કાર કેસમાં છોડી મુકવાના અદાલતના હુકમને પડકારતી અપીલ ગોવા સરકારે મુંબઈ હાઈકોર્ટની ગોવા બેન્ચ સમક્ષ કરી છે. જેની સુનાવણી આવતીકાલે સવારે ૧૧ વાગે જસ્ટિસ એસ સી ગુપ્તેની બેન્ચ સમક્ષ નીકળશે તેમ જાણવા મળે છે.

(10:52 pm IST)