Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 2,11 લાખથી વધુ નોંધાયા : એક્ટિવ કેસમાં મોટો ઘટાડો : વધુ 2.82 લાખથી દર્દીઓ રિકવર થયા : વધુ 3841 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.15 લાખને પાર

સૌથી વધુ તામિલનાડુમાં 33.764 કેસ, કેરળમાં 28.798 કેસ,કર્ણાટકમાં 26.811 કેસ, મહારાષ્ટ્રમાં 24.752 કેસ, આંધ્રપ્રદેશમાં 18.285 કેસ, પશ્ચિમ બંગાળમાં 16,225 કેસ, ઓરિસ્સામાં 11.623 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં 2.11.275 કેસ નોંધાયા છે. જ્યારે 2.85,924 દર્દીઓ રિકવર થયા છે  આ સાથે દેશમાં હવે દેશમાં 2,46.26.014 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.11.275 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3841 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,15.263 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.11.275 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,73,67.935 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 24,15.761એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.85.924 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,46.26.014 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 33.764 કેસ, કેરળમાં 28.798 કેસ,કર્ણાટકમાં 26.811 કેસ, મહારાષ્ટ્રમાં 24.752 કેસ, આંધ્રપ્રદેશમાં 18.285 કેસ, પશ્ચિમ બંગાળમાં 16,225 કેસ, ઓરિસ્સામાં 11.623 કેસ નોંધાયા છે

(12:52 am IST)