Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુબ્રમણ્યમ સ્વામીનો દાવો

સુશાંત સિંહ રાજપૂતને ઝેર અપાયું હતું

મુંબઇ,તા. ૨૬: ભાજપના રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ મુકયો હતો કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને તેના મોત પહેલા ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જાણી જોઇને તેના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં વિલંબ કરવામાં આવ્યો હતો. કેમ કે ત્યાં સુધીમાં તે ઝેર પેટના પાચક દ્રવ્યો સાથે ભળીને ઓગળી જાય અને હત્યાઓની ઓળખ મળી ન શકે સ્વામીને ટ્વીટ કરીને કહ્યું હતું કહ્યું કે હવે હત્યારાઓની વિકૃત માનસિકતા અને એની પહોંચ ધીમે-ધીમે સામે આવી રહી છે. ઓટોપ્સીમાં જાણી જોઇને વિલંબ કરવામાં આવ્યો હતો.

ગઇ કાલે નેટિઝન્સે (યુઝર્સે) માગ કરી હતી કે આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઇએ સુશાંત સિંહની ઓટોપ્સી કરવાવાળા કૂપર હોસ્પિટલના ડોકટરોથી પુછપરછ કરવી જોઇએ.

સ્વામીએ ટ્વીટમાં કહ્યું હતું કે, સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવતીને પુછપરછ માટે અટકાયતમાં લેવી જોઇએ. તેમણે કહ્યું હતું કે જો રિયા દ્વારા આપવામાં આવેલા પુરાવા અને મહેશ ભટ્ટની સાથે તેમની વાતચીતમાં વિરોધાભાસ હોય તો સીબીઆઇની પાસે એને ધરપકડ કર્યા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય.

હાલમાં જ રિયા અને મહેશ ભટ્ટની વચ્ચે વોટ્સએપ દ્વારા વાતચીતના સ્ક્રીન શોટ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા છે. જેમાં નેટઝન્સે આરોપ લગાવ્યો હતો કે રિયાને 'શુગર ડેડી' મહેશ ભટ્ટએ એને સુશાંત સાથે બ્રેકઅપ કરવા માટે ઉશ્કેરી હતી.

(11:43 am IST)