Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પ લોકોની સાથે મોહર્રમ જુલુસ કાઢવાની સુપ્રિમની મંજુરી નહિ, કહ્યું રાજય સરકારોનો પક્ષ સાંભળવો જરૂરી

નવી દિલ્હી, તા. ર૬ :  કોરોના સંકટને જોઇને સુપ્રિમકોર્ટે પ લોકોની સાથે મોહર્રમમાં જુલુસ કાઢવાની પણ મંજુરી આપી નથી. સુપ્રિમકોર્ર્ટે કહ્યું કે મોહર્રમ જુલુસ સમગ્ર દેશમાં નીકળે છે. તેથી ર૮ રાજય સરકારોની મંજુરી અથવા તેનો પક્ષ સાંભળવો જરૂરી છે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, જસ્ટિસ એ.એમ. બોપન્ના અને જસ્ટિસ વી. રામા સુબ્રમણ્યમની બેચે અરજીકર્તાને કહ્યું કે તેઓ તેમની અરજીમાં ર૮ રાજયની સરકારોને પણ સામેલ કરે ત્યારબાદ સુનાવણી થશે. સાથે જ કોર્ટે અરજીકર્તાને કેન્દ્ર સરકાર અને રાજય સરકારોને આદેશ આપવાની માંગ કરવાની પણ વાત કહી છે.

(4:04 pm IST)