Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ફિલ્મ અભિનેતા અનિલ નેદુમંગડનું મલંકરા ડેમમાં ડૂબી જતા કરૂણ મોત

ફિલ્મની શૂટિંગમાં બ્રેક દરમિયાન મિત્રો સાથે ડેમમાં ન્હાવા ગયેલ ત્યારે ઊંડાપાણીમાં ડૂબી જતા મૃત્યુ

મુંબઈ : વર્ષની વિદાય ની પર્વ સંધ્યા એ વધુ એક અભિનેતાનું ડૂબી જતાં મોત થઈ ગયુ છે.અય્યપ્પનમ કોશિયુમ' અને 'કમ્મતિપાદમ' જેવી મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકેલા 48 વર્ષીય ફિલ્મ અભિનેતા અનિલ નેદુમંગડ નું મલંકરા ડેમમાં ડૂબી જતા કરૂણ મોત થઇ ગયું છે.

અનિલ નેદુમંગદ એક ફિલ્મની શુટિંગ માટે થોડૂપૂઝા પહોંચ્યા હતા જ્યાં બ્રેક દરમિયાન અનિલ નેદુમંગડ અને તેમના મિત્રો મલંકારા ડેમમાં નાહવા માટે ગયા હતા પણ ઊંડા પાણી માં જતા તેઓ ડૂબી ગયા હતા.

જોકે,બચાવકર્મીઓની મદદથી તેમને બહાર કાઢી એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હતા. અનિલ નેદુમંગડે એ તેમની કારકિર્દી ની શરૂઆત એક ટીવી એન્કર તરીકે કરી હતી. 2014માં તેમણે ફિલ્મ માં પ્રવેશ કરી 'અય્યપ્પનમ કોશિયુમ' અને 'કમ્મતિપાદમ' સિવાય પાવડા, કિસ્મત, પૈરોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.આ ઘટના ને લઈ ફિલ્મ વર્તુળો માં ગમગીની છવાઈ ગઈ છે.

(9:59 am IST)