Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

૨૪ કલાકમાં ૨૨૨૭૩ કેસઃ ૨૫૧ના મોત

દેશમાં કુલ કેસ ૧,૦૧,૬૯,૧૧૮: કુલ મૃત્યુઆંક ૧૪૭૩૪૩: રીકવરી ૯૭૪૦૧૦૮

નવી દિલ્હી, તા. ૨૬ :. દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. ૨૪ કલાકમાં ૨૨૨૭૩ નવા કેસ આવ્યા છે અને ૨૫૧ લોકોના મોત થયા છે.  નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧ કરોડ ૧ લાખ ૬૯ હજાર ૧૧૮ની થઈ છે. અત્યાર સુધીમાં દેશમાં ૯૭૪૦૧૦૮ લોકો સાજા થયા છે. જ્યારે ૨૮૧૬૬૭ એકટીવ કેસ છે.  દેશમાં ૨૪ કલાકમાં થયેલા મોત બાદ મૃતકોની સંખ્યા વધીને ૧૪૭૩૪૩ની થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૩૫૨૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 

(11:29 am IST)