Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં ડીસાના ૩ જૈન અગ્રણીઓના મોત

અમદાવાદ તા. ૨૬ : રાજયના અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત થયો છે, જેમાં ૩ ગુજરાતીઓના કમકમાટીભર્યા મોત નિપજયા છે. રાજસ્થાનના ઝાલોર નજીક ગુજરાતના ડીસાના ત્રણ આગેવાનોને એક રોડ અકસ્માત નડ્યો છે, જેમાં જીવદયા પ્રેમી ભરત કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે, તેમની સાથે અન્ય બે લોકો પણ મોતને ભેટ્યા છે. હાલ જૈન અગ્રણીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનના ઝાલોદમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના ઝાલોર નજીક તેઓ કોઈ કામસર જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ડીસાના ત્રણ આગેવાન વેપારીના મોત થયા છે.

છેલ્લે મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન થયું છે, જયારે ભરતભાઇ કોઠારી સહિત રાકેશ જૈન અને વિમલ જૈનનું પણ મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત જૈન સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

(3:28 pm IST)