Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

અરૂણાચલ પ્રદેશમાં જેડીયૂના છ ધારાસભ્યો ભાજપમાં જોડાતા બિહારનું રાજકારણ ગરમાયુ

નીતીશકુમાર ભાજપ સાથેનો સંબંધ તોડી નાખે તો આરજેડી ગઠબંધન માટે તૈયાર

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશમાં જેડીયૂના છ ધારાસભ્યોના ભાજપમાં સામેલ થવાની ઘટનાની અસર બિહારના રાજકારણ પર વર્તાઇ શકે છે. તેવામાં રાષ્ટ્રીય જનતા દળે શનિવારે સંકેત આપ્યો કે જો અરૂણાચલ પ્રદેશમાં પક્ષપલટાના ઘટનાક્રમ બાદ સીએમ નીતિશ કુમાર ભાજપ સાથેનો સંબંધ તોડી નાંખે તો તેની સાથે ફરીથી ગઠબંધનની સંભાવના બની શકે છે

   આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ સ્પષ્ટ કર્યું કે હવે બોલ જેડીયૂના નેતૃત્વના પાલામાં છે. જેમણે સમજવું જોઇએ કે અરૂણાચલ પ્રદેશમાં જેડીયૂના ધારાસભ્યોનું સામુહિક રીતે ભાજપમાં સામેલ થવાનો ઘટનાક્રમનો હેતુ જૂની વાતોનો બદલો લેવાનો છે. આજેડીએ નીતિશ કુમારને ઓફર કરી તે જો તે ભાજપ સાથેનો સંબંધ તોડી નાખે તો આરજેડી ગઠબંધન માટે તૈયાર છે.  .

(12:20 am IST)