Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોંગ્રેસ વિરૂધ્ધ મતદાન કરવુ

રાજસ્થાન રાજકીય સંકટમાં નવો વળાંક :BSP કોંગી વિરૂધ્ધ મતદાન કરશે : વ્હીપ જારી

બસપાની નવી ચાલથી ગેહલોત સરકારની મુશ્કેલી વધી

જયુપરઃ રાજસ્થાનના રાજકારણ ધમાસાન દર મહિને નવો રૂપ લે છે. આ વચ્ચે બહુજન સમાજ પાર્ટીએ પોતાના છ ધારાસભ્યોને વ્હિપ જાહેર કરીને અશોક ગહેલોત પક્ષની મુશ્કેલીઓ વધે છે. બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ વ્હિપ રજૂ કરતા પાર્ટીના બધા ૬ ધારાસભ્યોને આદેશ આપ્યો છે કે જો ગહેલોત સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે.

બીએસપી મહાસચિવના બધા ૬ ધારાસભ્યોને નોટિસ રજૂ કરીને જણાવ્યું હતું કે, બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજયમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે.

પાર્ટીનો કોંગ્રેસમાં વિલય નહીં થયો. સાથે જ તેમણે ધારાસભ્યોને ચેતવણી આપીને કહ્યું છે કે જો કોઈએ નિર્દેશની અવહેલના કરી તો તેના ઉપર દલ બદલ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સતીશ ચંદ્ર મિશ્રાએ આગળ જણાવ્યું હતું કે, બધા ધારાસભ્યો બસપાને ટિકિટ ઉપર ચૂટણી જીતીને આવ્યા છે.

પાર્ટીએ ધારાસભ્યોને આપી આ ચેતવણી ઉલ્લેખનીય છે કે સિયાસી સંકટ વચ્ચે બસપાના બધા છ ધારાસભ્યોએ કોંગ્રેસનો પલ્લુ પકડતા ગહેલોત સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ધારાસભ્યોનો દાવો છે કે તેમણે કોંગ્રેસમાં વિયલ કરી લીધા છે.

જોકે, બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ માત્ર છ ધારાસભ્યોને વ્હિપ રજૂ કરીને કોંગ્રેસ વિરુદ્ઘ વોટ આપવાની આદેશ રજૂ કરી છે. આદેશ ન માનવા ઉપર કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. બહુજન સમાજ પાર્ટીએ બધા ધારાસભ્યોને નોટિસ રજૂ કરી છે. જો ધારાસભ્યો પાર્ટીના નિર્દેશોને નહીં માને તો તેમની સામે હાઈકોર્ટમાં જઈ શકે છે.

બસપાના ૬ ધારાસભ્યો કરોલીથી લખન સિંહ મીના, નદબઈથી જોગિંન્દર સિંહ અવાના, નગરથી વાજિબ અલી, તિજારાથી સંદીપ કુમાર, કિશનગઢબાસાથી દીપચંદ્ર ખૈરિયા અને ઉદયપુરવાટીથી રાજેન્દ્ર સિંહ ગુઠા ચૂંટણી જીતીને આવ્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.

(11:33 am IST)