Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

T-20 વર્લ્ડકપની મેચમાં ભારતની હાર બાદ સોશિયલ મીડિયામાં હવે ખેલાડીઓની પત્નીને ટ્રોલ કરવા લાગ્યા

સોશિયલ મીડિયામાં અનુષ્કાને કહ્યું- પ્રાણીઓની ચિંતા છોડો, પતિનું ધ્યાન રાખો: કડવા ચોથનું વ્રત રાખ્યું કે નહીં ??

મુંબઈ :પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં ભારતનીય ટીમની કારમી હાર બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ થઈ રહ્યું છે. ત્યારે હવે ખેલાડીઓની પત્નીને ટ્રોલ કરવામાં આવી રહી છે.

ઈન્ડિયા હોય કે પાકિસ્તાન મેચમાં સારું પ્રદર્શન ન કરનારા પ્લેયર્સની પત્નીઓ ખૂબ ટ્રોલ થઈ રહી છે. તેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને મોહમ્મદ શમીની વાઈફ હસીન જહાં ટ્રોલર્સના નિશાને છે. ઈન્ડિયા-પાકિસ્તાન મેચ દરમિયાન બંને દેશોના કયા ક્રિકેટરો અને તેમની પત્નીને યુઝર્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.

ગમે તે મેચમાં વિરાટ કોહલી ખરાબ રમે છે તો ફેન્સ સીધી તેની પત્ની પત્ની અનુષ્કા શર્માને નિશાન બનાવે છે અને તેને ટ્રોલ કરવા લાગે છે. મેચ પૂરી થયે ઘણો સમય વીતી ગયો છે તેમ છતાં યુઝર્સ અનુષ્કાને ટ્રોલ કરી રહ્યા છે. લોકો પાકિસ્તાનથી હાર માટે અનુષ્કાને જવાબદાર ગણી રહ્યા છે. ઘણા યુઝર્સે અનુષ્કાને પૂછ્યું કે કરવાચોથનું વ્રત રાખ્યું હતું કે નહિ?

ત્યારે સોશિયલ મીડિયામાં એક યુઝર હતુ કે, અનુષ્કા તમે તમારા પતિનું ધ્યાન રાખો અને પ્રાણીઓની ચિંતા છોડી દો. યુઝરે નવેમ્બર 2015માં પોસ્ટ કરેલી અનુષ્કાની તસવીર સાથે આ ટ્વીટ કર્યું હતું. તે સમયે અનુષ્કાએ દિવાળી પર ઘોડાની તસવીર પોસ્ટ કરી હતી જેમાં ફટાકડા ફોડવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પ્રાણીઓ વિરોધ કરી શકતા નથી પરંતુ દિવાળી દરમિયાન અવાજથી અત્યંત લાચારી અનુભવે છે. આ માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

વધુ એક યૂઝરે લખ્યું- આ વખતે કરવાચોથનું વ્રત નહોતું રાખ્યું કે શું? 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર વિરાટ કોહલીની ખરાબ પર્ફોમન્સ બાદ અનુષ્કાને એટલી ટ્રોલ કરવામાં આવી કે વિરાટને જાતે તેના બચાવમાં આવવું પડ્યું હતું.

પાકિસ્તાની પેસર હસન અલીના નબળા દેખાવને કારણે તેની પત્ની શામિયા હસન અલી ટ્રોલ થઈ ગઈ છે. શામિયા હસન ભારતીય છે. હસન અલીએ ભલે ભારત સામે બે વિકેટ ઝડપી હોય પરંતુ તે 44 રનમાં ખૂબ ખર્ચાળ સાબિત થયો. હસન અલી અને શામિયાએ 2019માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત દુબઈમાં થઈ હતી.

(7:44 pm IST)