Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દિવાળી પર્વે ભારતીય રેલ્વે સ્પેશિયલ 668 ટ્રેનો દોડાવશે : રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કર્યું

દિવાળીમાં થનાર ભીડને જોતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત

નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે તમામ લોકો તહેવારોની સીઝનમાં વતન જતા હોય છે, જેને લઈને રેલ્વેએ મોટી જાહેરાત કરી છે. દિવાળી તહેવારો પર ભારતીય રેલ્વે સ્પેશિયલ 668 ટ્રેનો દોડાવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે ટ્વિટ કર્યું છે.

ટ્રેનથી પોતાના ઘરે જનાર લોકો માટે સૌથી મોટી ખુશખબર છે. ભારતીય રેલ્વેએ દિવાળીમાં થનાર ભીડને જોતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ભારતીય રેલ્વેના ઉત્તર મધ્યમ રેલ્વે (NCR) એ અમુક ટ્રેનોની એક યાદી જાહેર કરી હતી. હવે પશ્ચિમ રેલ્વેએ પણ આગામી તહેવારોને જોતા અમુક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.

(12:28 am IST)