Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સુનીતા કેજરીવાલનો દાવો:તેમના પતિ અરવિંદની તબિયત ઠીક નથી :શુગર લેવલમાં વધઘટ થાય છે .

તેમને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે. આ અત્યાચાર ચાલશે નહીં... જનતા જવાબ આપશે

નવી દિલ્હી ; દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીની તબિયત સારી નથી અને તેમને "ખૂબ હેરાન" કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

 દિલ્હીની એક અદાલતે મુખ્ય પ્રધાનની ED કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી હતી. કેજરીવાલના કેસની સુનાવણી દરમિયાન સુનીતા પણ કોર્ટમાં હાજર રહી હતી. સુનીતાએ પત્રકારોને કહ્યું, "તેમની તબિયત ઠીક નથી." તેનું શુગર લેવલ વધઘટ થતું રહે છે. તેમને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે. આ અત્યાચાર ચાલશે નહીં... જનતા જવાબ આપશે

   
(8:37 pm IST)