Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

'અકિલા'માં છપાયું હતું દયાળજીભાઇનું પ્રથમ પુસ્તક..!

જયારે દયાળજીભાઇએ સાહિત્યયાત્રા આરંભી ત્યારે તેઓએ પ્રથમ પુસ્તક ઇ.સ. ૧૯૭૮ માં 'આતુર પરીક્ષા' લખ્યું. આયુર્વેદના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું પુસ્તક તૈયાર કર્યું. એ વખતે તેમના આ પ્રથમ પુસ્તકના પ્રિન્ટિંગનું કામ અકિલા ના મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રા એ કરી આપેલું. એ પુસ્તકમાં પ્રસ્તાવનામાં અકિલા અને મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રા નો દયાળમુનિ દ્વારા આભાર પણ વ્યકત કરાયો છે. ટંકારા ખાતે દયાળમુનિએ તે પુસ્તક શ્રી કિરીટભાઇ ગણાત્રા ને બતાવી આજથી ૪૨ વર્ષ પહેલાના સંસ્મરણો વાગોળ્યા હતા. એ પુસ્તક આજે પણ તેમના પુસ્તકાલયમાં સચવાયેલું છે.

(3:58 pm IST)