Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ફ્લેટમાં ગંદા ઇરાદાઓથી બોલાવતો: સોનાની દાણચોરીની આરોપી સ્વપ્ના સુરેશે ED સમક્ષ વિધાનસભા સ્પિકર અંગે કર્યો મોટો ઘટસ્ફોટ

સ્વપ્ના સુરેશનું આ નિવેદન વધારાનાં દસ્તાવેજ તરીકે રજૂ કરાયું

નવી દિલ્હી : સોનાની દાણચોરીના કેસમાં આરોપી સ્વપ્ના સુરેશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે કે કેરળના સ્પીકર પી શ્રીરામકૃષ્ણન પર તેના ફ્લેટમાં ગંદા ઇરાદાઓથી બોલાવતો હતો. આ સંદર્ભમાં એજન્સીએ કેટલાક દસ્તાવેજો કેરળ હાઇકોર્ટમાં પણ સુપરત કર્યા છે, ત્યાર બાદ આ માહિતી બહાર આવી છે. સ્વપ્ના સુરેશે જણાવ્યું કે શ્રીરામકૃષ્ણને તેમને તિરુવનંતપુરમના પેટ્ટા ફ્લેટમાં બોલાવતો હતો, જે ફ્લેટ તેના માનવા અનુસાર તાની પાસે હતો, પરંતુ તેનું નામ બીજા કોઈના નામ પર હતું. વળી, સ્વપ્નાને કાંઇ વિચિત્ર ન લાગે તે માટે, તેથી તેણે ફ્લેટના અસલી માલિક વિશે જણાવ્યું હતું.

સ્વપ્ના સુરેશનું આ નિવેદન વધારાનાં દસ્તાવેજ તરીકે રજૂ કરાયું છે. સ્વપ્નાએ 16 ડિસેમ્બર 2020 ના રોજ એટિકુલાંગરાની વનિતા જેલમાં ઇડીના ડેપ્યુટી ડિરેક્ટર, (કોચી) સમક્ષ નિવેદન આપ્યું. નિવેદન મુજબ સ્વપ્નાએ કહ્યું કે, "તેણે મને ફ્લેટના અસલી માલિક વિશે કહ્યું જેથી હું સુરક્ષિત અનુભવી શકું." તે મને ગંદા ઇરાદાથી બોલાવતો હતો. આ પછી, જ્યારે મેં ઇન્કાર કર્યો, ત્યારે તેણે મને પહેલા જ્યાં નોકરી કરવાનું વચન આપ્યું હતું તે મધ્ય પૂર્વમાં નોકરી આપવાનો ઇન્કાર કર્યો, તેણે અહીં પણ મોટું રોકાણ કર્યું છે.''

ડોક્યુમેન્ટસ પ્રમાણે સ્વપ્નાએ એજન્સીને જણાવ્યું કે શ્રીરામકૃષ્ણને મને મારુથમ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં બોલાવી હતી અને મને કહ્યું હતું કે તે તેનું ઠેકાણું છે. હું ત્યાં તેને મળવા સારથ (સોનાની દાણચોરીનો બીજો આરોપી) સાથે ગઇ હતી. જો કે, મેં તેની વાત માનવાનો ઇન્કાર કર્યો હોવાથી, મધ્ય પૂર્વ કોલેજમાં મને આપવામાં આવેલી ભૂમિકા પણ રદ્દ કરવામાં આવી હતી.

(12:00 am IST)