Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ઉત્તર પ્રદેશના મંદિરમાં પુજારીના ગળા ઉપર ચાકુના ઘા ઝીંકી હત્યા : બુલંદશહર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ઢાકવાલે મંદિરમાં બનેલી ઘટનાથી શ્રદ્ધાળુઓમાં આક્રોશ

બુલંદશહર : ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ઢાકવાલે મંદિરના પુજારીના ગળા ઉપર ચાકુના ઘા મારી તેની હત્યા કરાઈ છે. આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ એક સપ્તાહ પહેલા મંદિરના પૂજારી તરીકે કામ કરવા આવેલા 50 વર્ષીય અશોકકુમારની રવિવારે રાત્રે મંદિર નજીક આવેલા ખેતરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.જે અંગે તેના પુત્ર  કરણસિંહે ફરિયાદ નોંધાવી છે.પોલીસ તપાસ ચાલુ છે.તેવું એન.ટી.દવારા જાણવા મળે છે.

(12:20 pm IST)