Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

જે સમુદાય હિંસા ચાહતો હતો, તે હવે તેના અંતિમ દિવસો ગણી રહ્યો છે

ભાગવતે સિંધી ભાષા અને સંસ્‍કૃતિના અસ્‍તિત્‍વને સુનિヘતિ કરવા માટે દેશમાં સિંધી યુનિવર્સિટીની સ્‍થાપના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્‍યો ભારત બહુભાષી દેશ છે અને દરેક ભાષાનું પોતાનું મહત્‍વ છે

અમરાવતી,તા. ૨૯: રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે હિંસાથી કોઈને ફાયદો થતો નથી અને તમામ સમુદાયોને એકસાથે લાવવા અને માનવતાનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્‍યો. ભાગવતનું આ નિવેદન દેશના કેટલાક ભાગોમાં વિવિધ જૂથો વચ્‍ચે તાજેતરની અથડામણની પૃષ્ઠભૂમિમાં આવ્‍યું છે. ભાગવતે સિંધી ભાષા અને સંસ્‍કૃતિના અસ્‍તિત્‍વને સુનિヘતિ કરવા માટે દેશમાં સિંધી યુનિવર્સિટીની સ્‍થાપના કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્‍યો હતો. આરએસએસના વડાએ કહ્યું કે ભારત બહુભાષી દેશ છે અને દરેક ભાષાનું પોતાનું મહત્‍વ છે.

ભાગવત અહીં નજીકના ભાનખેડા રોડ પર આવેલા કંવરરામ ધામ ખાતે સંત કંવર રામના પ્રપૌત્ર સાંઈ રાજલાલ મોરડિયાના ‘ગદ્દીનશિની' કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા. આ સમારોહમાં અમરાવતી જિલ્લા અને દેશના વિવિધ ભાગોમાંથી સિંધી સમુદાયના સેંકડો સભ્‍યોએ હાજરી આપી હતી. આરએસએસના વડાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે હિંસાથી કોઈને ફાયદો થતો નથી અને તમામ સમુદાયોને એકસાથે લાવવા અને માનવતાનું રક્ષણ કરવા હાકલ કરી હતી.

ભાગવતે કહ્યું, ‘હિંસાથી કોઈનું ભલું થતું નથી. જે સમાજ હિંસા ચાહે છે તે હવે અંતિમ દિવસો ગણી રહ્યો છે. આપણે હંમેશા અહિંસક અને શાંતિપ્રેમી રહેવું જોઈએ. આ માટે તમામ સમુદાયોને સાથે લાવવા અને માનવતાની રક્ષા કરવી જરૂરી છે. આપણે બધાએ આ કામ અગ્રતાના ધોરણે કરવાની જરૂર છે.

RSS નેતા ભાવગતની ટિપ્‍પણી ભાજપ શાસિત મધ્‍યપ્રદેશ અને ગુજરાત સહિત લગભગ અડધો ડઝન રાજયોમાં રામ નવમી અને હનુમાન જન્‍મજયંતિની ઉજવણી દરમિયાન સાંપ્રદાયિક અથડામણની પૃષ્ઠભૂમિમાં આવી છે.

સિંધી સમુદાયે દેશના વિકાસમાં અમૂલ્‍ય યોગદાન આપ્‍યું છે તેની નોંધ લેતા ભાગવતે સિંધી સંસ્‍કૃતિ અને ભાષાને પ્રોત્‍સાહન આપવા અને જાળવવા માટે સિંધી યુનિવર્સિટીની જરૂરિયાત પર ભાર મૂક્‍યો હતો.

આરએસએસ નેતાએ કહ્યું, ‘કેટલાક સિંધી ભાઈઓ તેમના ધર્મ અને જમીનની રક્ષા માટે પાકિસ્‍તાનમાં રોકાયા હતા અને દ્યણા જમીનની કિંમતે તેમના ધર્મની રક્ષા કરવા માટે ભારત આવ્‍યા હતા.'

તેમણે કહ્યું કે સિંધી સમુદાયે યુનિવર્સિટીની માંગણી પૂરી કરવા માટે કેન્‍દ્ર સરકાર પર દબાણ લાવવું પડશે. ‘સમાજ સિંધી યુનિવર્સિટી અને અખંડ ભારત માટે ઉત્‍સુક છે. આ મંચ પર પણ આ લાગણીઓ વ્‍યક્‍ત કરવામાં આવી હતી. મને સિંધી યુનિવર્સિટી માટે પ્રયાસ કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ હું સરકારનો ભાગ નથી.

‘સરકાર હોય કે અન્‍ય કોઈ, તે સમાજના દબાણ પર કામ કરે છે. સામાજિક દબાણ સરકાર માટે પેટ્રોલ જેવું છે. જો તમે સિંધી યુનિવર્સિટીનું તમારું સ્‍વપ્‍ન સાકાર થતું જોવા માંગતા હોવ તો તમારે આ સરકાર પર દબાણ લાવવાની જરૂર છે.

જગતગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્‍વતી મહારાજે કહ્યું હતું કે, ‘અખંડ ભારત દેશમાં દરેકનું સપનું છે અને વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન આ સ્‍વપ્‍ન ચોક્કસપણે સાકાર થશે.

(11:02 am IST)