Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત ઘટાડો : છેલ્લા 24 કલાકમાં નવા 20,740 કેસ નોંધાયા : વધુ 424 લોકોના મોત : 31671 દર્દીઓ સાજા થયા : મુંબઈમાં નવા કેસ એક હજારથી ઓછા

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહયો છે આજે કોરોનાના 20,740 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં લાંબા સમય પછી કોરોનાના દૈનિક દર્દીઓની સંખ્યા હજારની નીચે પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાંના નવા કેસ સામે આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 5,692,920 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રોગચાળામાં 424 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 93,198 લોકોનાં મોત નીપજ્યાં છે.

 છેલ્લા એક દિવસમાં રાજ્યમાં 31671 કોરોના દર્દીઓ સાજા થયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને કુલ 5,307,874 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 34,350,186 લોકોની કોરોના તપાસ થઈ છે. રાજધાની મુંબઈમાં  924 નવા કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 14,750 લોકોનાં મોત નીપજ્યાં છે.

(12:00 am IST)