Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દેશમાં કોરોના થાક્યો : નવા 1.64 લાખથી વધુ નોંધાયા : એક્ટિવ કેસમાં મોટો ઘટાડો : વધુ 2.71 લાખથી દર્દીઓ રિકવર થયા : વધુ 3440 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.22 લાખથી વધુ : કુલ કેસનો આંકડો 2.77 કરોડને પાર પહોંચ્યો : અઢી કરોડથી વધુ દર્દીઓ રિકવર થયા

સૌથી વધુ તામિલનાડુમાં 31.079 કેસ, કેરળમાં 22.318 કેસ,કર્ણાટકમાં 22,823 કેસ, મહારાષ્ટ્રમાં 20,740 કેસ, આંધ્રપ્રદેશમાં 14.429 કેસ, પશ્ચિમ બંગાળમાં 12.193 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 1.64.499 કેસ નોંધાયા છે. જ્યારે 2.71,770 દર્દીઓ રિકવર થયા છે  આ સાથે દેશમાં હવે દેશમાં 2,51,68,916 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 1.64,490 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 340 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,22,364 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.64.490 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,77.18.744 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 22.16.350એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.71,770 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,51,68,916 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 31.079 કેસ, કેરળમાં 22.318 કેસ,કર્ણાટકમાં 22,823 કેસ, મહારાષ્ટ્રમાં 20,740 કેસ, આંધ્રપ્રદેશમાં 14.429 કેસ, પશ્ચિમ બંગાળમાં 12.193 કેસ નોંધાયા છે

(1:07 am IST)