Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

'યાસ' વાવાઝોડા બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય વંટોળ : ચીફ સેક્રેટરી બંદોપાધ્યાયને દિલ્હી પાછા બોલાવી લેવાયા

પીએમની સમીક્ષા બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ અને મુખ્ય સચિવ અલપન બંધોપાધ્યાય ગેરહાજર રહેતા કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા :બંદોપાધ્યાયને તાત્કાલિક રિલિઝ કરવાનો હુકમ

કોલકાતામાં પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલા વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને મુખ્ય સચિવ અલપન બંધોપાધ્યાય ગેરહાજર રહ્યા બાદ કેન્દ્ર સરકારે કડક પગલાં લીધાં છે. બંગાળ સરકારને મુખ્ય સચિવ બંદોપાધ્યાયને તાત્કાલિક રિલિઝ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેથી કેન્દ્રમાં તેમનું અન્યત્ર પોસ્ટીંગ કરી શકાય. આને કેન્દ્ર અને મમતા સરકાર વચ્ચે નવા સંઘર્ષનો સંકેત બતાવવામાં આવી રહ્યો છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયનો મુખ્ય સચિવ તરીકેનો કાર્યકાળ પૂરો થઇ ગયો હતો, પરંતુ ચાર દિવસ પહેલા જ મમતા બેનર્જીએ તેમનો કાર્યકાળ ત્રણ મહિના માટે વધારી દીધો હતો. અલપન બંદોપાધ્યાયને મમતા બેનર્જીની નજીક માનવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ હવે અલપન બંદોપાધ્યાયને કેન્દ્રમાં નવી જવાબદારી સોંપવામાં આવશે. તેમણે 31 મેના રોજ સવારે 10 વાગ્યા પહેલા દિલ્હીમાં રિપોર્ટ કરવાનો રહેશે.

કેન્દ્ર સરકારે બંગાળ સરકારને અલપન બંદોપાધ્યાયને વહેલામાં વહેલી તકે રિલિઝ કરવાની વિનંતી કરી છે, બનાવવામાં આવે. DPPT એ પશ્ચિમ બંગાળ સરકારને પત્ર લખીને કહ્યું છે કે બંદોપાધ્યાયને કાર્યમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(9:26 am IST)