Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા : પહેલી જૂને નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે

જનતાના સૂચનો અને એક્સપર્ટ્સના મંતવ્ય પ્રમાણે અનલોકની પ્રક્રિયા શરૂ કરશે

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઇ રહયો છે તેવામાં દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે તેઓ પ્રતિ સપ્તાહ જનતાના સૂચનો અને એક્સપર્ટ્સના મંતવ્ય પ્રમાણે અનલોકની પ્રક્રિયા શરૂ કરશે પરંતુ શરત એ છે કે જો કોરોના વધવા લાગશે તો અનલોકની પ્રક્રિયા રોકવામાં આવશે. સાથે જ તેમણે લોકોને કોરોના સંબંધી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વિનંતી કરી હતી

(9:39 am IST)