Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

યાસ વાવાઝોડાથી પ.બંગાળમાં પાંચનાં મોત : ૧૫ હજાર કરોડનું નુકસાન

કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે. મુશિદાબાદ જિલ્લાના હરિહરપાડા ખાતે ૨ કિશોરો તથા નદિયા જિલ્લાના નકાશીપાડા ખાતે એક વ્યકિતનું આકાશી વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું. પૂર્વ મેદિનીપુરના નંદીગામ ખાતે ર છોકરાઓ આકાશમાંથી પડેલી વીજળીની લપેટમાં આવતા મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનારતના કારણે ઓછામાં ઓછા ૧ કરોડ લોકો પ્રભાવિત થસા છે અને ૩ લાખ મકાનોને નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં પાણી ભરાયા છે અને અનેક બંધ ભાંગી પડ્યા છે. દક્ષિણ ર૪ પરગણાના સાગર તથા ગોસાબા જેવા ક્ષેત્રો અને પૂર્વ મિદનાપુરના મંદારમણિ, દીધા અને શંકરપુર જેવા તટીય વિસ્તારોમાં દરિયાના પાણી ભરાયા છે. મમતા બેનર્જીએ રાજયમાં આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો.

(10:22 am IST)