Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ભારતમાં કોરોના ધીમો પડ્યો : છેલ્લા 44 દિવસ બાદ સૌથી ઓછા નવા કેસ :એક દિવસમાં 3,660નાં મોત

આ પહેલા ગત તા.14મી એપ્રિલે 1,84,372 દર્દીઓ નોંધાયા હતા.

નવી દિલ્હી : ભારતમાં બીજી લહેરનો કહેરમાં આંશિક રાહત જોવા મળી રહી છે. કોરોનાના નવા ચેપગ્રસ્તોની સંખ્યા પણ ઘટતી જઈ રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જારી ડેટા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,86,364 નવા દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન 3,660 લોકોના મૃત્યુ થયા છે. 44 દિવસો બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસો સામે આવ્યા છે. આ પહેલા ગત તા.14મી એપ્રિલે 1,84,372 દર્દીઓ નોંધાયા હતા.

(11:05 am IST)