Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મેજર વિભૂતિ શંકરના પત્ની નિકીતા કૌલ આર્મીમાં જોડાયા

પુલવામામાં આતંકી હુમલામાં મેજર શહીદ થયા હતા : લેફ્ટેનન્ટ તરીકે આર્મીમાં પ્રવેશ કરી નિતિકાએ ભારતીય સેનાનો યુનિફોર્મ પહેરીને શહીદ મેજરને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી, તા. ૨૯ : ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલનાં પત્ની નિકિતા કૌલ ઈન્ડિયન આર્મીમાં જોડાયા છે. નિકિતા ઢૌંડિયાલે લેફ્ટેનન્ટ તરીકે આર્મીમાં પ્રવેશ કર્યો છે. નિતિકાએ આજે ભારતીય સેનાનો યુનિફોર્મ પહેરીને શહીદ મેજર વિભૂતિ શંકરને શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૧૯માં જૈશ--મોહમ્મદના આતંકવાદીઓ સાથેની અથડામણમાં મેજર વિભૂતિ શહીદ થયા હતા.

પુલવામાં હુમલો થયો ત્યારે નિતિકા અને મેજર વિભૂતિના લગ્નને માત્ર ૧૦ મહિના થયા હતા. એપ્રિલ ૨૦૧૯માં તેમના લગ્નની પહેલી એનિવર્સરી આવે તે પહેલા મેજર વિભૂતિને વીરગતિ પ્રાપ્ત થઈ હતી. નિતિકાએ પોતાના પતિને બહાદુર સૈનિક ગણાવ્યા હતા. પતિના મૃત્યુ બાદ નિકિતાએ હાર ના માનીએ અને સેનામાં જોડાવાનો દૃઢ નિશ્ચય કરી દીધો. હવે મે ૨૦૨૧માં ટ્રેનિંગ પૂરી કરીને નિકિતા ઢૌંડિયાલ લેફ્ટેનન્ટ તરીકે આર્મીમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે મેજર વિભૂતિનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાઈને દહેરાદૂન સ્થિત ઘરે પહોંચ્યો હતો ત્યારે નિકિતાએ સલામ ઠોકીને પતિને અંતિમ વિદાય આપી હતી. ત્યારે તેમણે સેનામાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો. વખતે નિકિતાએ કહ્યું હતું કે, તેઓ પતિના અધૂરા કામને પૂરા કરવા માગે છે અને તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.

નિકિતા અગાઉ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હતા. જે છોડીને તેઓ ભારતીય સેનામાં જોડાયા છે. પતિના અવસાનના મહિનામાં નિકિતાએ શોર્ટ સર્વિસ કમિશનનું ફોર્મ ભર્યું અને પરીક્ષા પાસ કરીને સર્વિસ સિલેક્શન બોર્ડનો ઈન્ટરવ્યૂ આપ્યો. આમાં પાસ થયા પછી નિકિતાએ ચેન્નૈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (ઓટીએ)માં ટ્રેનિંગ લીધી અને હવે આર્મીમાં લેફ્ટેનન્ટ નિકિતા કૌલ ઢૌંડિયાલ તરીકે ૨૯ મે ૨૦૨૧ના રોજ જોડાયા છે.

મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના પીઆરઓ ઉધમપુરના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી નિકિતાનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે, મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલે ૨૦૧૯માં પુલવામાં શહીદી વહોરી હતી. આજે તેમના પત્ની નિકિતા કૌલે આર્મીનો યુનિફોર્મ પહેર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. નિકિતા માટે ગર્વની ક્ષણ છે કારણકે લેફ્ટેનન્ટ જનરલ વાય.કે.જોષી સ્વયં તેમના યુનિફોર્મ પર સ્ટાર લગાવી રહ્યા છે.

૩૦ વર્ષીય લેફ્ટેનન્ટ નિકિતાએ પણ ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, છેલ્લા ૧૧ મહિનામાં તેઓ ઘણું શીખ્યા છે. સાથે તેમણે પોતાના સાસુ અને મમ્મી સહિત તેમનામાં વિશ્વાસ રાખનારા સૌનો આભાર માન્યો છે. શહીદ પતિ મેજર વિભૂતિ વિશે વાત કરતાં કહ્યું કે, તેમણે જર્ની અનુભવી છે તેનો તેમણે પણ અનુભવ કર્યો છે. મેજર વિભૂતિ હંમેશા તેમના જીવનનો ભાગ રહેશે. સાથે નિકિતાએ મહિલાઓને સંદેશ આપ્યો કે, પોતાની જાતમાં વિશ્વાસ રાખો. ભલે નિષ્ફળતા મળે નિરાશ ના થશો, પ્રયાસ કરતા રહેશો તો એક દિવસ ચોક્કસ સફળતા મળશે.

(7:23 pm IST)