Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 803 લોકોના મોત : વધતો મૃત્યુઆંક ચિંતાજનક : દેશમાં નવા 14.273 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 13.151 દર્દીઓ રિકવર થયા : વધુ 803 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.57.221 થયો : એક્ટીવ કેસ 1.55.180 થયા : કુલ કેસની સંખ્યા 3.42.45.516 થઇ

સૌથી વધુ કેરળમાં 7738 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1418 કેસ,તામિલનાડુમાં 1061 કેસ, પશ્ચિમ બંગાળમાં 990 કેસ, મિઝોરમમાં 547 કેસ, કર્ણાટકમાં 478 કેસ, ઓરિસ્સામાં 412 કેસ, આંધ્રપ્રદેશમાં 381 કેસ, આસામમાં 322 કેસ, હિમાચલ પ્રદેશમાં 213 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 14.273 કેસ નોંધાયા છે. જ્યારે 13.151 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 14.273 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 803 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.57.221 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 14.273 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.45.516 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.55.180 થઇ છે છેલ્લા 24 કલાકમાં 13.151 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.36.19.928 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 7738 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1418 કેસ,તામિલનાડુમાં 1061 કેસ, પશ્ચિમ બંગાળમાં 990 કેસ, મિઝોરમમાં 547 કેસ, કર્ણાટકમાં 478 કેસ, ઓરિસ્સામાં 412 કેસ, આંધ્રપ્રદેશમાં 381 કેસ, આસામમાં 322 કેસ, હિમાચલ પ્રદેશમાં 213 કેસ નોંધાયા છે

(9:29 am IST)