Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

આદિત્‍યનાથ યોગીના ગ્રહો

ગુજરાતમાં યોગીજીનું સ્‍વાગત છે વેલકમ : જબ્‍બરજસ્‍ત રાજયોગ છે : મોદીજી-યોગીજીને છઠ્ઠો રાહુ છે

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રીશ્રી આદિત્‍યનાથ યોગીના ગ્રહો શું કહે છે.

આદિત્‍યનાથના ગ્રહોમાં તેમની જન્‍મની રાશિ કુંભ છે. પણ તેમનું નામ મેષ રાશિ ઉપર છે. મળેલ માહિતી પ્રમાણે સિંહ લગ્નમાં તેમનો જન્‍મ થયો છે. અને જન્‍મ લગ્નથી છઠ્ઠા સ્‍થાનમાં રાહુ છે. રાહુ - હરીફો - દુશ્‍મનો ઉભા કરે અને સાથે સાથે દુશ્‍મનોને પરાજય પણ આપે આમ આ રાહુ તેમની કુંડલીમાં રાજયોગ બનાવે છે.

દશમાં સ્‍થાનમાં બળવાન સૂર્ય છે જે હમેંશા તેમને સફળતા તરફ લઇ જાય છે અને વિશ્વમાં અને દેશમાં નામના અપાવે છે.

સૂર્ય બુધનો આદિત્‍ય યોગ પણ બને છે જેને લઇને તેઓ ખુબ જ હિંમતવાળા અને બુધ્‍ધિશાળી હોય

ર૦ર૪ થી તેમનો જબરજસ્‍ત રાજયોગ બને છે. તેઓ હિન્‍દુસ્‍તાનના ભવિષ્‍યના પી. એમ. હોઇ શકે.

તેમની ઉપર પણ હુમલાનો યોગ બની શકે. ઇશ્વર તેમને તંદુરસ્‍તી આપે તેમની રક્ષા કરે. (પ-૬)

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:41 am IST)