Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વૈષ્ણોદેવીમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ : જોરદાર હિમવર્ષા

જમ્મુ : ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં વૈષ્ણોદેવી ભવન, ભૈરવઘાટી અને ત્રિકુટા પર્વત બરફની સફેદ ચાદરથી લપેટાઈ ચૂકયા છે : યાત્રા માર્ગ ઉપર રેપીડ એકશન ફોર્સના ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે : કોરોના છવાયેલો હોવા છતાં યાત્રાળુઓને વૈષ્ણોદેવી યાત્રા માટે છૂટ આપવામાં આવી છે : જો કે લખનપુરમાં પાબંધીઓ રાખવામાં આવી હોવાથી વધુ લોકો આવતા નથી : બરફના કારણે રસ્તાઓ ઉપર લપટી જવાય તેવી સ્થિતિ છે : બોર્ડના કર્મચારીઓ સતત રસ્તાઓ સાફ કરી રહ્યા છે : લખનપુરમાં આવનારાઓ ઉપર કોરોનાના બીજા રાઉન્ડને કારણે આકરા નિયમો લાદી દેવામાં આવ્યા છે.

(11:45 am IST)