Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સુદાનમાં આદીવાસી અને અરબ મુસ્લિમ જુથો વચ્ચેની અથડામણમાં ૧૫ ના મોત

નવી દિલ્હી : સુદાનના દારફુર ક્ષેત્રમાં  આદીવાસી અને અરબ મુસ્લિમ જુથો વચ્ચે અથડામણ સર્જાતા ૧૫ જેટલા લોકોના મૃત્યુ થયા છે.

દારફુરમાં શાંતિ સૈનિકોને રાખવા બાબતે સંયુકત રાષ્ટ્ર આફ્રીકી સંઘના એક આદેશને રદ કરવા અને તેની જગ્યાએ નાનુ રાજનીતિક મિશન રાખવાના સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરીષદના ફેંસલાની વિરૂધ્ધમાં હજારોની સંખ્યામાં વિસ્થાપિતો દ્વારા થઇ રહેલ પ્રદર્શન દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો. હાલ આ સ્થળે મોટી સંખ્યામાં લશ્કર તૈનાત કરી દેવાયુ છે. 

(2:55 pm IST)